મોરવા હડફમાં કૃષિ મંત્રી રમેશ કટારાનું નિવેદન.

Featured Video Play Icon
Spread the love

મોરવા હડફમાં કૃષિ મંત્રી રમેશ કટારાનું નિવેદન.
કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કરી મોટી જાહેરાત.
નુકસાનીના સર્વે માટે તંત્રને અપાયા તાત્કાલિક આદેશ.

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે રાહતરૂપ મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાના કારણે પાકને થયેલી નુકસાની અંગે હવે સરકાર દ્વારા સત્તાવાર સર્વે હાથ ધરવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં રાજ્ય કક્ષા કૃષિ મંત્રી રમેશ કટારાએ આ બાબતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાના કારણે પાકને થયેલી નુકસાની અંગે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાના કારણે અનેક ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કપાસ, ઘઉં, શાકભાજી અને અન્ય ખેતી પાકોમાં નુકસાન નોંધાયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે નુકસાનનો સચોટ અંદાજ મેળવવા માટે ગ્રામસેવકો અને તલાટીઓને તાત્કાલિક સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. દરેક ગામમાં જઈને ખેડૂતોના ખેતરોમાં થયેલી વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. જેથી સરકાર પાસે ચોક્કસ માહિતી ઉપલબ્ધ થઈ શકે.

પંચમહાલ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં તાજેતરમાં હવામાનમાં આવેલા અચાનક ફેરફારને કારણે ખેતી પર ભારે અસર પડી છે. મીની વાવાઝોડા સાથે આવેલા તેજ પવન અને વરસાદને કારણે પાક જમીન પર પડી ગયો હતો. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સર્વે પૂર્ણ થયા બાદ નુકસાનનું મૂલ્યાંકન કરીને સહાય પેકેજ જાહેર થવાની સંભાવના છે. ખેડૂતો હવે સરકારના નિર્ણય તરફ નજર રાખી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે તેમને યોગ્ય વળતર મળશે. રાજ્ય સરકારની આ પહેલથી ખેડૂતોમાં થોડી રાહત અને વિશ્વાસનો માહોલ સર્જાયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *