સુરતના વરાછા ખાતે બેંકમાં થયેલી લાખોની લુંટ મામલે લુંટનો માસ્ટર માઈન્ડ
માસ્ટર માઈન્ડ અને તેના સાથીદારને વરાછા પોલીસે ઝડપ્યા
કાસસિંઘ ઉર્ફે ચંદન અને સંજીત ઉર્ફે સચીત દિનેશ રાજભરને તમિલનાડુથી ઝડપ્યા
સુરતના વરાછા ખાતે આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી લાખોની લુંટ મામલે લુંટનો માસ્ટર માઈન્ડ અને તેના સાથીદારને વરાછા પોલીસે તમિલનાડુથી ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સુચનાને લઈ વરાછાની એસબીઆઈ બેંકમાં કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી હથિયાર બતાવી 50 લાખની લુંટ કરી ભાગી છુટેલા લુંટારૂઓમાંથી અગાઉ અનેક લુંટારૂઓને ઝડપી પાડ્યા બાદ લુંટનો માસ્ટર માઈન્ડ આરોપી વિકાસસિંઘ ઉર્ફે ચંદન અને તેના સાથીદાર સંજીત ઉર્ફે સચીત દિનેશ રાજભરને તમિલનાડુથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી.
