સુરતમાં ખરાબ રસ્તાઓને લઈ ગુણવત્તા નિયંત્રણનુ જાતે નિરીક્ષણ કર્યુ
પાલિકા કમિશનરે જાતે નિરીક્ષણ કરી આદેશ આપ્યા
ઉચ્ચસ્તરીય આદેશ બાદ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર
મુખ્યમંત્રી દ્વારા ખરાબ રસ્તાઓને લઈ નવા રસ્તા બનતાઓ ત્યારે ગુણવત્તા નિયંત્રણનુ નિરિક્ષણ કરવા આપેલા આદેશને લઈ મનપા કમિશનરે જાતે નિરીક્ષણ કર્યુ હતું.
સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં માત્ર રસ્તાના મુદ્દે અચાનક વીડિયો કોન્ફરન્સિંગ યોજીને ગંભીરતા દાખવવા સૂચના આપી હતી. આ ઉચ્ચસ્તરીય આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કમિશનર શાલિની અગ્રવાલે માત્ર આદેશો જારી કરવાને બદલે પોતે જ ફિલ્ડમાં ઊતરીને ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેણે રસ્તાના રિકાર્પેટિંગ માટે આવેલું મટિરિયલ પૂરતું ગરમ છે કે કેમ, તે ચકાસવા માટે સ્થળ પર થર્મોમીટર મંગાવીને તાપમાન ચેક કર્યું હતું.
