સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજાઈ
ઉધના વિસ્તારમાં આ કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલી નીકળી
મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના વિસ્તારમાં આ કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા ને પગલે 26 જેટલા લોકોના મોત થઈ ગયા છે ત્યારે દેશભરમાં તેના પડઘા જોવા મળી રહ્યા છે મૃતકોના આત્માની શાંતિ માટે ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહી છે ત્યારે સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ઉધના વિસ્તારમાં કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આતંકી પ્રવૃત્તિઓ કરતા લોકો વિરુદ્ધ ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આ સાથે પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. અમોને રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી