ભાવનગર જેલમાં રહેલી ગર્ભવતી મહિલા જાગૃતિબેન
જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણીને મિસ્કેરેજ થવાની દુઃખદ ઘટના
ભાવનગર જેલમાં રહેલી ગર્ભવતી મહિલા જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણીને મિસ્કેરેજ થવાની દુઃખદ ઘટના સામે આવી છે,
ભાવનગર જેલમાં રહેલી ગર્ભવતી મહિલા જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણીને મિસ્કેરેજ થવાની દુઃખદ ઘટનાને કારણે સમગ્ર સિંધી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ સામાજિક આગેવાન કમલેશભાઈ ચંદાની તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. તેમણે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમાજમાં ન્યાય માટે અવાજ ઉઠી રહ્યો છે અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે આગેવાનો આગળ આવી રહ્યા છે…
