પાણીની ટાંકી ધરાશય થતાં કયાં કમલમમાં કેટલાં રૂપિયા ખવાયા

Featured Video Play Icon
Spread the love

પાણીની ટાંકી ધરાશય થતાં કયાં કમલમમાં કેટલાં રૂપિયા ખવાયા
આનંદ ચૌધરીએ સીબીઆઈ ધ્વારા તપાસની માંગ કરી
અરેઠનાં તાલુકાના તડકેશ્વર ગામે આશીર્વાદ સમાન પાણીની ટાંકી ધરાશય

અરેઠ તાલુકાનાં તડકેશ્વર ગામે તથા આજુબાજુનાં વિસ્તારમાં પીવા માટેનું પાણી પુરું પાડવાં 11 લાખ લીટર પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટાંકીના લોકાર્પણ પહેલા ભોંયભેગી થઇ જતા કમલમમાં કેટલાં રૂપિયા ખવાયાનો આનંદ ચૌધરીએ આક્ષેપ કરતા સીબીઆઈ ધ્વારા તપાસની માંગ કરી છે

મળતી માહિતી મુજબ અરેઠનાં તડકેશ્વર ગામે દુધરી વિસ્તારમાં 21 કરોડ રૂપિયાનાં ખર્ચે નવનિર્મિત બનેલી ટાંકીની જમીન ઉપર ખાબકતા સરકારી રૂપિયા ખવાઈ ગયાની લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ અરેઠ તાલુકાનાં તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના ગાયપગલાં ધ્વારા ૩૨ ગામને પાણી પુરુ પાડી શકાય એ માટે 21 કરોડનાં ખર્ચે 11 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવાં માટે ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જોકે આજ રોજ બપોરનાં બે વાગ્યે માંડવી તાલુકાનાં કોંગ્રેસનાં માજી ધારાસભ્ય તથા સુરત જીલ્લાનાં કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ આ પાણીની ટાંકી હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું હોવાનાં આક્ષેપ કરાયો હતો અને વધુમાં જણાવ્યું હતું

ટાંકીના લોકાર્પણ પહેલા ભોંયભેગી થઇ જતા કમલમમાં કેટલાં રૂપિયા ખવાયાનો આનંદ ચૌધરીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કમેલમમાં કેટલાં પૈસા ખવાયા છે એની સીબીઆઈ ધ્વારા તપાસની માંગણી પણ કરી હતી અને ટાંકી ધરાશય થતાં કામમાં ભારે બેદકારી તથા ભ્રષ્ટાચાર થયો છે.પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલએ જણાવેલ કે આ ટાંકીની ચર્ચાઓ હમો કોંગ્રેસ પાર્ટીનાં આગેવાન હોદ્દેદારો વિધાનસભામાં પણ ચર્ચાઓ કરશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *