માંડવીમાં ડો. બાબા સાહેબ આંબેડકર અભ્યાન હેઠળ ઘર ઘર અભિયાન
તા.1 થી 5 મે સુધી ઘરે ઘર જઈને સંપર્ક કરવામાં આવ્યો
તેમના જીવન ચરિત્રની પુસ્તિકા અને પત્રિકાનું વિતરણ કરાયું
માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર જી સન્માન અભિયાન હેઠળ અનુસૂચિત જાતિના પ્રબુધ્ધ આગેવાનો ના ઘરે ઘરે જઈ સંપર્ક કરાયો
ગુજરાત પ્રદેશ ભાજપા ના દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાન હેઠળ માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 1 5 2025 થી તારીખ 5 5 2025 દરમિયાન માંડવી નગરમાં વસવાટ કરતા અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિકી સમાજના આગેવાનોના ઘરે ઘરે જઈ સંપર્ક કરવામાં આવ્યો હતો તથા બાબા સાહેબ આંબેડકરજીના જીવન ચરિત્ર તથા તેમના સંઘર્ષકાળ અને ભાજપ દ્વારા તેમને ઉજાગર કરવાના પ્રયત્નોને દર્શાવતી પુસ્તિકા તથા પત્રિકા નુ પ્રબુધ્ધ આગેવાનોને વિતરણ કરવામાં આવ્યું હતું તારીખ 1 મેથી 5 મે દરમિયાન સુભાષચોક ખાતે વસવાટ કરતા વાલ્મિકી સમાજ નાઆગેવાનોનો વિશેષ સંપર્ક કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માંડવી નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ ની આગેવાનીમાં યોજાયો હતો જેમાં મઢી સુગર ફેક્ટરી ના ડિરેક્ટર નટુભાઈ રબારી તથા તત્કાલીન માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ તેમજ નિયુક્ત કરેલ તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.