હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વાતાવરણને લઈને આગાહી.
કાળઝાળ ગરમીથી માત્ર 3 દિવસ મળશે રાહત.
23 એપ્રિલથી ગરમીનો પારો પાછો ઉંચકાશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. જેમાં પવન અને ગાજવીજ વરસાદ પડી શકે છે. કાળઝાળ ગરમીથી માત્ર 3 દિવસ રાહત મળશે ફરી 23 એપ્રિલથી ગરમીનો પારો પાછો ઉંચકાશે.
અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને ચક્રવાતને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે આ વર્ષે કેવો વરસાદ રહેશે તેને લઈને ખાસ માહિતી આપી છે. અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વર્ષે ચોમાસું આ ગરમી વધારે પડી રહી છે. તેના કારણે 2005 અને 2006 જેવું ચોમાસું રહી શકે. ગરમીને લઈને તેમણે કહ્યું કે આગામી થોડાક દિવસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ ઓછું થતું જોવા મળશે. જોકે ગરમી ઘટવાની સાથે સાથે ઘણા બધા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવું પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીથી માત્ર 3 દિવસ રાહત મળશે ફરી 23 એપ્રિલથી ગરમીનો પારો પાછો ઉંચકાશે.
ચોમાસું આ વખતે નબળું નહીં પડે, પાછોતરો વરસાદ વધારે પડી શકે છે. કેટલાક જિલ્લાઓમાં વધારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ઓછો વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં મે મહિનામાં અને અરબ સાગરમાં પણ મે મહિનામાં એક ચક્રવાત આવવાની શક્યતા છે. જોકે આ બંને ચક્રવાતની અસર વિદેશોમાં રહેવાની શક્યતા છે. ચોમાસું આ વખતે સારું તો હશે પરંતુ અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડશે એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે. જોકે સૌથી મોટો પ્રશ્ન હાલ જે ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવવાનો છે તેને લઈને છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી