દાહોદના ભીલવાડામાં સાંઈ બાબા મંદીર પાસે ગંદકીનું સામ્રાજ્ય…

Featured Video Play Icon
Spread the love

દાહોદના ભીલવાડામાં સાંઈ બાબા મંદીર પાસે ગંદકીનું સામ્રાજ્ય…
મંદીરના સંચાલકો દ્વારા સાફ સફાઈ હાથ ધરાઈ
સ્માર્ટ સીટી અંતર્ગત બનાવેલ ભૂગર્ભ ગટર બ્લોક કારણે પરિસ્થિતિ સર્જાઈ

દાહોદ શહેરના તળાવ ફળીયા ભીલવાડામાં આવેલ સ્થિત સાંઈ બાબા મંદીરની દશા ગંદકીના કારણે દશા બદલવાની કામગિરી મંદીરના સંચાલકો દ્વારા હાથ ધરાઈ

દાહોદ શહેરના વોર્ડ નંબર 3 ના ભીલવાળા તળાવ ફળીયામાં આશરે 25 વર્ષ જૂનું સાંઈ બાબાના મંદીરની દિશા બદલવાની કામગિરી શરૂ કરવા વિસ્તારના મંદીરના સંચાલકોએ બેઠક યોજી તળાવ ફળીયા ભીલવાડામાં સ્થિત સાંઈબાબાના મંદીર નજીક ખુલ્લી જગ્યા આવેલી છે.જે ખુલ્લી જગ્યામાં વિસ્તારના લોકો દર વર્ષે આવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોં તહેવારો ઉજવતા હતા.પણ સ્માર્ટ સીટી અંતર્ગત બનાવેલ સિદ્ધરાજ જયસીંગ છાબ તળાવ બન્યા બાદ સિદ્ધરાજ જયસીંગ છાબ તળાવનું લેવલ અને વિસ્તારનું લેવલમાં અંતર હોવાના કારણે અને સ્માર્ટ સીટી અંતર્ગત બનાવેલ ભૂગર્ભ ગટર બ્લોક હોવાના કારણે અન્ય વિસ્તારોમાંથી આવતું ગંદુ પાણી તે ખુલ્લી જગ્યામાં ભરાવવા લાગ્યુ.જેનું હાલ સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.સાથે ભીલવાડા વિસ્તાના લોકો કચરો પણ તે ખુલ્લી જગ્યામાં નાખે છે .જેના કારણે વિસ્તારના લોકો દુર્ઘઘનો સામનો કરી રહ્યા છે.અને સાથે સાંઈ બાબા મંદીરમાં આવતા ભક્તોની સંખ્યામાં પણ સાંઈ બાબા મંદીર નજીક ગંદુ પાણી ભરાઈ રહેતા અને કચરાના ઢગલાના કારણે છેવટે મંદીરના સંચાલકોએ મંદીરની દિશા બદલવાનું નક્કી કરવામાં આવી છે, અને સાફ સફાઈ હાથ ધરવામાં હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *