સુરતમાં વીએનએસજીયુનું ગ્રાઉન્ડ યશ્વી ફાઉન્ડેશનને ભાડે અપાતા વિવાદ
કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે જઈ વિરોધ પ્રદર્શન
નવરાત્રી માટે ટેન્ડર વગર યુનિવર્સિટીનું કેમ્પસ ભાડે આપવામાં આવતા વિવાદ
સુરતમાં વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ યશ્વી ફાઉન્ડેશનને ભાડે અપાતા વિવાદ સર્જાયા બાદ કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે જઈ વિરોધ પ્રદર્શન કરાયુ હતું.
સુરતમાં નવરાત્રી આવે તે પહેલા જ નવરાત્રીને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વીએનએસજીયુ ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. યુનિવર્સિટીનું મેદાન યશ્વી ફાઉન્ડેશનને ભાડે આપતા વિવાદ સર્જાયો છે. નવરાત્રી માટે યુનિવર્સિટીનું કેમ્પસ ભાડે આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. કેમ્પસ ભાડે આપવા માટે ટેન્ડર ની પ્રક્રિયા હોય છે પરંતુ ટેન્ડરની પ્રક્રિયા વિના ભાડે અપાયુ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કેમ્પસ ભાડે આપવા બાબત કોંગ્રેસ દ્વારા યુનિવર્સિટી ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
