સુરતની સેવાભાવી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર
બીનવારસી મૃતકોના ફોટા પ્રર્દશનનુ આયોજન કરાયું
સુરતીજનો પોતાના ગુમ થયેલા લોકોની ઓળખ કરી શકે
સુરતની સેવાભાવી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સોસીયો સર્કલ પાસેના શનિદેવ મંદીર ખાતે બીનવારસી મૃતકોના ફોટા પ્રર્દશનનુ આયોજન કરાયું હતું.
સુરત શહેરમા કોઈ પણ ન્યાત જાતના ભેદભાવ વગર બિનવારસી લાશોની અંતીમ ક્રિયા કરતી સેવાભાવી સંસ્થા અગ્નીદાહ સેવા કેન્દ્ર ના વેણીલાલ મારવાવાળાદ્વારા અવારનવાર બીનવારસી લાશોની ઓળખ થાય તેમાટેના સઘન પ્રયાસો કરવામા આવે છે. ત્યારે આજે શનિવારે સુરતના સોશીયો સર્કલ પાસે આવેલ શનીદેવ મંદીર બહારઅગ્નીદાહ સેવા કેન્દ્ર દ્વારા બીનવારસી લાશોના ફોટાનુ પ્રદર્શન યોજવામા આવ્યુ હતુ. આ પ્રદર્શન થકી સુરતીજનો પોતાના ગુમ થયેલા લોકોની ઓળખ થઈ શકે તે માટેના પ્રયાસ રૂપે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.
