ભરુચ મનરેગા કોભાંડને લઇ સાંસદ મનસુખ વસાવા આક્રપાણીએ

Featured Video Play Icon
Spread the love

ભરુચ મનરેગા કોભાંડને લઇ સાંસદ મનસુખ વસાવા આક્રપાણીએ
નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની
મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી થતી

ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે.

ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા સંબંધિત કચેરીઓની તપાસ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે હવે તપાસ માટે સ્પેશ્ય ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવશે. આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તપાસ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિમણૂક અપાય તેવી માહિતી મળી રહી છે. ત્યારે બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે.

મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી પરંતુ બે ત્રણ વર્ષ પછી તપાસ થાય છે જે અયોગ્ય છે. સરકારે મનરેગા જેવી યોજનાઓની સફળતા માટે યોગ્ય સિસ્ટમ બનાવવી પડશે. આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *