સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ વન્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ વન્યો
23 વર્ષીય યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું
બાઈક ચલાવતા આવડતું ન હોવાથી આપઘાત કર્યો
પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી

સુરતમાં છેલ્લા ઘણા સમયથી લોકો નજીવી બાબતે પણ નાશીપાસ થાય આપઘાત કરી રહ્યા છે ત્યારે અઠવાલાઈન્સ પોલીસ લાઈનમાં રહેતા અને અશ્વદળમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના યુવાન પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. યુવાને આપઘાત પહેલા લખેલ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે ઘરવાળાઓને મારા પર બહુ આશા છે પણ હું તેમના સપનાં પૂરાં કરી શકું એમ નથી.

અઠવાલાઈન્સ પોલીસ લાઈન ખાતે રહેતા અને અશ્વદળમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના યુવાન પુત્રએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બાઈક ચલાવતા આવડતું ન હોવાથી હતાશ થઈ તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોતાને ગાડી ચલાવતા આવડતું ન હોવાથી જીવન અઘરૂ થઈ ગયુ હોવાનો અને તેના કારણે આપઘાતનું પગલું ભરી રહ્યો હોવાનો યુવકે સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. અઠવાલાઈન્સ પોલીસ લાઈન ખાતે રહેતા ભાવસિંગ ચૌધરી મુળ માંડવીના ફુલવાડી ગામના વતની છે અને તેઓ હાલ શહેર પોલીસમાં અશ્વદળમાં ફરજ બજાવે છે. તેમનો 23 વર્ષીય પુત્ર ચિંતવકુમાર એમટીબી કોલેજમાં આર્ટસમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે સાંજે ચિંતવે પોતાના ઘરે બેડરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને ચિંતવે લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે પોતાને બાઈક ચલાવતા આવડતું ન હોવાથી જીવન અઘરૂ થઈ ગયુ હોવાનો અને તેના કારણે આપઘાતનું પગલું ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *