સુરતમાં જોગણી માતાજી મંદિરવાળા રોડ પર વકીલ પર ચપ્પુથી હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં જોગણી માતાજી મંદિરવાળા રોડ પર વકીલ પર ચપ્પુથી હુમલો
વકીલે વીડિયો જાહેર કરીને ભાજપ કોર્પોરેટર અમિતસિંહ પર હુમલાનો આક્ષેપ મૂક્યો, અમિતસિંહે કહ્યું આક્ષેપ તથ્યવિહીન

સુરતના જોગણી માતાજી મંદિરવાળા રોડ પર વકીલ અભિષેક રાજપૂત પર બે અજાણ્યા શખસોએ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વકીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલાની ઘટના સાથે જ વકીલ દ્વારા વીડિયો જાહેર કરીને ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સુરતના જોગણી માતાજી મંદિરવાળા રોડ પર ઈજાગ્રસ્ત વકીલે કહ્યું- ‘મેરે પે હુમલા હુઆ હૈ. યે સબ અમિતસિંહ ઔર પંકજસિંહ જો મેરે બડે ભાઈ હૈ ઉનકે જો જીજા ઔર સાલે હૈ ઉનકી યે સબ ચાલ હૈ. ઔર યે મેરે કો મેરે યે પાંવ પે ચાકુ માર દિયા હૈ. યે મુજે જાન બુજ કે મારા ગયા હૈ. ઈસમે અમિત હ રાજપૂત જો કોર્પોરેટર હૈ ઉનકી પૂરી-પૂરી ચાલ હૈ.’

ભાજપ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે તમામ આરોપોને ફગાવતા જણાવ્યું હતું કે, હું હુમલાના સમયે ઘરમાં પૂજામાં વ્યસ્ત હતો અને વકીલના આરોપ તથ્યવિહીન છે. આ ઘટનાને રાજકીય રંગ આપી રજૂ કરવામાં આવી રહી છે.

હુમલાની પ્રથમ માહિતીમાં ખુલાસો થયો છે કે, હુમલાખોરોએ પહેલાથી જ અભિષેક રાજપૂત પર હુમલો કરવાની યોજના ઘડી હતી. બંને આરોપી ગાડીમાં આવ્યા હતા અને ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી દીધી છે અને હુમલાખોરોની ઓળખ તથા તેમનો ઉદ્દેશ જાણવા માટે ટેકનિકલ તપાસ સાથે CCTV ફૂટેજની તપાસ શરૂ કર્યું છે. પોલીસ દ્વારા કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *