સુરતની સુવર્ણ નવરાત્રિમાં બજરંગદળનો વિરોધ
ગરબાના આયોજનમાં વિધર્મી બેન્ડ વગાડનારને પ્રવેશ આપતા વિરોધ.
સુવર્ણ નવરાત્રિના આયોજકોએ બજરંગદળની માફી માગી.
સુરતમાં નવરાત્રીની શરૂઆતના પહેલા નોરતે જ વિવાદ સર્જાયો હતો. સુવર્ણ નવરાત્રીમાં બજરંગદળે અન્ય ધર્મના લોકોને પકડતા આયોજકોએ માફી માંગી હતી.
નવરાત્રીના પહેલા નોરતે જ વિવાદ સર્જાયો હતો. બજરંગદળ અને વિહિપ દ્વારા નવરાત્રી મહોત્સવમાં અન્ય ધર્મના લોકોને ન આવવા ચિમકી આપી હોવા છતા પણ સુવર્ણ નવરાત્રીમાં અન્ય ધર્મના લોકો આવતા માફી માંગવી પડીહ તી. બજરંગદળે સુવર્ણ નવરાત્રિમાં અન્ય ધર્મના લોકોને પકડતા હોબાળો થયો હતો તો પોલીસે મામલો થાળે પાડી સુવર્ણ નવરાત્રીના આયોજકે બજરંગ દાળ અને પુરા હિન્દુ સમાજની માફી માંગીને પોલીસને સાક્ષી રાખીને આવતા વર્ષે અન્યધર્મ લોકોને ના રાખે તેની બાંહેદારી આપી હતી.
