અરેઠનાં નૌગામા ગામે ખેતરમાંથી ખેરનું ઝાંડ કાપીને ચોરી કરી તશ્કરો ફરાર
૫૦ વર્ષ જુનું ખેરનું ઝાંડ કાપીને લઈ જતાં પોલીસમાં તથા જંગલ ખાતાંનાં ચોપડે ફરીયાદ નોંધાઇ.
અરેઠ તાલુકાનાં મોટા નૌગામા ગામેથી બોરીગાળા જવાનાં રસ્તા ઉપર રાત્રીનાં સમયે એક ખેતરમાંથી ખેરનું ઝાંડ કાપીને વાહનમાં ભરી ચોરી કરી લઈ જતા ચોરો ખેતરમાં શેરડીનાં પાકને નુંકશાન થતાં પોલીસમાં તથા જંગલ ખાતાંનાં ચોપડે ફરીયાદ નોંધાતાં ચકચાર મચી જવાં પામી હતી.
જાણવા મળતી માહિતી મુજબ અરેઠનાં મોટા નૌગામા ગામની હદમાં બ્લોક નં.૬૨૮ વાળી ખેતીની જમીન છગનભાઇ લાલાભાઇ પરમાર ના નામે આવેલી છે જેની માલીકી ની જમીન માં ૫૦ વર્ષ જુનું એક ખેરનું ઝાંડ હતું જે કોઈ અજાણ્યા વ્યક્તિ આવી ખેતરમાંથી કાપીને આશરે ૫૦ હજારની કિંમતનું લાકડું ફોર વ્હીલર વાહનમાં શેરડીનાં ઉભા પાકને નુંકશાન કરી ચોરી કરી લઇ જતાં તડકેશ્વર પોલીસ સ્ટેશનમાં તથા જંગલ ખાતાં વિભાગનાં અધિકારીને લેખીતમાં ફરીયાદ કરાતાં ચોરી કરનારાઓમાં ફફરાટ વ્યાપી ગયો છે
