જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં
ભારત પાકિસ્તાનના સિંધુ જળ સંધિ કરારને સ્થગિત કર્યો
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં 28 ટુરીસ્ટોના મૌત બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં આવતા ભારત પાકિસ્તાનના સિંધુ જળ સંધિ કરારને સ્થગિત કર્યો છે,
23 એપ્રિલ, 2025 ના રોજ ભારતે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા ( Baisaran Valley Terrorist Attack ) બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય ભારતના વિદેશ સચિવ દ્વારા ઘોષિત કરવામાં આવ્યો છે અને તેને પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં મોટા પગલા તરીકે જોવામાં આવ્યો. સિંધુ જળ સંધિ કરાર (Indus Waters Treaty) 1960 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો એક મહત્વપૂર્ણ કરાર છે, જે વિશ્વ બેંકની મધ્યસ્થી હેઠળ સહી થયો હતો. આ કરાર હેઠળ સિંધુ નદી અને તેની સહાયક નદીઓના પાણીનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વી નદીઓ (સતલુજ, વ્યાસ, રાવી) ભારતને અને પશ્ચિમી નદીઓ ( સિંધુ, ઝેલમ, ચિનાબ ) પાકિસ્તાનને આપવામાં આવી છે. અગાઉ 2016 માં ઉરી આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિની સમીક્ષા કરવાની વાત કરી હતી પરંતુ તેને રદ્દ કરવામાં આવી નહોતી. વર્ષ 2023 માં ભારતે સંધિમાં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ મોકલી હતી, કારણ કે પાકિસ્તાને 2017 થી 2022 દરમિયાન કાયમી સિંધુ પંચની બેઠકોમાં ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી છે, જેને રદ્દ કરવાની દિશામાં પગલું ગણી શકાય.
સિંધુ જળ સંધિને અત્યાર સુધી માત્ર એક જ વાર વર્ષ 2025 માં સ્થગિત ( Suspended ) કરવામાં આવી છે, જેને રદ્દ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે જોવામાં આવે છે. જોકે, આ સ્થગિત થવું આંતરરાષ્ટ્રીય કાયદા અને વિશ્વ બેંકની ભૂમિકાને કારણે જટિલ છે, અને તેનો સંપૂર્ણ અમલ હજુ ચર્ચામાં છે. અગાઉ ક્યારેય આ સંધિને સંપૂર્ણ રીતે રદ્દ કરવામાં આવી નથી, પરંતુ તેની સમીક્ષા અથવા સુધારાની માંગ બે વખત વર્ષ 2016 અને 2023 માં થઈ છે.
પાકિસ્તાનની લગભગ 80-90% સિંચાઈ સિંધુ નદી પાણી ઉપર આધારિત છે. સંધિ સ્થગિત થવાથી પાકિસ્તાનમાં પાણી, કૃષિ, અને વીજળીની ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી