ગુજરાત કોંગ્રેસ દ્વારા “કારકિર્દીના ઉંબરે” પુસ્તકનું વિમોચન
વિદ્યાર્થીઓને મુંઝવતો પ્રશ્ર્ એટલે ધોરણ 10 અને ધોરણ 12 પછી શું ?
વિદ્યાર્થીઓ અને વાલીઓને સતત મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મળશે
શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓને એક પ્રશ્ન સતત મુંઝવતો હોય છે કે ધોરણ 10 અને ધોરણ 12 પછી શું ? શિક્ષણને લગતા આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી કોંગ્રેસ દ્વારા માર્ગદર્શન આપતી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા “કારકિર્દીના ઉંબરે” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે
ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ અને વાળીને મુંજવતા પ્રશ્નોના નિરાકરણ માટે સતત 20 વર્ષથી કોંગ્રેસ દ્વારા “કારકિર્દીના ઉંબરે” પુસ્તક બહાર પાડવામાં આવી રહ્યું છે. શિક્ષણને લગતા આવા પ્રશ્નોનું નિરાકરણ માટે બહાર પાડવામાં આવેલ આ પુસ્તક ડિજિટલ પ્લેટફોર્મ અને વેબસાઈટ પર પણ જોવા મળશે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને હોદેદારો આ પ્રસંગે હાજર રહ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી