રાજકોટમાં થયેલા ગંભીર બસ અકસ્માત બાદ સુરત પોલીસ તંત્ર સફાળું જાગ્યું
બસ ડ્રાઈવરોનું બ્રેથએનલાઈઝર દ્વારા આલ્કોહોલ ચેકિંગ કરવામાં આવ્યું
ડ્રાઈવરોના ડ્રાઈવિંગ લાઇસન્સની પણ ચકાસણી કરવામાં આવી
રાજકોટમાં થયેલા ગંભીર બસ અકસ્માત બાદ સુરત પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. આજે સવારથી જ સુરત શહેરમાં મુસાફરોને લઈને ફરતી તમામ બસોના ડ્રાઈવરોનું બ્રેથએનલાઈઝર દ્વારા આલ્કોહોલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડ્રાઈવરોના ડ્રાઈવિંગ લાઇસન્સની પણ ચકાસણી કરવામાં આવી હતી.
રાજકોટમાં થયેલા ગંભીર બસ અકસ્માત બાદ રાજ્યના વિવિધ શહેરોમાં પોલીસ દ્વારા રાહદારી સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સુરતમાં પણ પોલીસ તંત્ર એક્શન મોડમાં છે અને ખાસ કરીને જાહેર વાહન ચાલકો સામે પગલાં લેવાઈ રહ્યા છે. સુરત શહેરના વીઆર મોલ પાસે ટ્રાફિક પોલીસની ટીમે ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. જેમાં બસ ડ્રાઈવરોનું બ્રેથએનલાઈઝર દ્વારા આલ્કોહોલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડ્રાઈવરોના ડ્રાઈવિંગ લાઇસન્સની પણ ચકાસણી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ અનુસાર, રાજકોટની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં તમામ મુખ્ય સ્થળોએ ટર્મિનલ, શોપિંગ મોલ, અને શાળાઓ પાસે વાહન ચાલકોનું તબીબી અને દસ્તાવેજી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કે મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે અને ગંભીર અકસ્માતો અટકાવવામાં આવે.