સુરતમાં ધામધૂમ પુર્વ અને ભક્તિભાવ સાથે શ્રીજીની સ્થાપના કરાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ધામધૂમ પુર્વ અને ભક્તિભાવ સાથે શ્રીજીની સ્થાપના કરાઈ
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ પોલીસ દ્વારા શ્રીજીની સ્થાપના કરાઈ
પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ગણેશ મહોત્સવમાં જોડાયા

સુરતમાં ધામધૂમ પુર્વ અને ભક્તિભાવ સાથે આજે ગણેશ ચતુર્થીએ શ્રીજીની સ્થાપના કરાઈ રહી છે ત્યારે સુરત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ પોલીસ દ્વારા શ્રીજીની સ્થાપના કરાઈ હતી.

સુરતમાં ધામધુમ અને ભક્તિભાવ સાથે ભગવાન ગણેશજીની સ્થાપના કરાઈ રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગણેશ ઉત્સવને લઈ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી. પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ગણેશ મહોત્સવમાં જોડાયા હતાં. તો સુરત પોલીસ કમિશનરે કહ્યુ હતુ કે શહેરમાં શાંતિપુર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થા તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે. સુરતમાં આશરે એક લાખ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થનાર હોવાનું પણ સુરત પોલીસ કમિશનરે કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *