સુરતમાં નાસીર નગરના ભુતિયા ડિમોલીશન અંગે સવાલો
સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે પત્રકારોને માહિતી આપી
ખોખો રમત રમાઈ હોય તે રીતે અધુરા જવાબો
સુરતમાં નાસીર નગરના ભુતિયા ડિમોલીશન અંગે ફરી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે પત્રકારોને માહિતી આપી હતી જો કે આ વખતે પણ ખોખો રમત રમાઈ હોય તે રીતે અધુરા જવાબો આપી નિકળી ગયા હતાં.
સુરતના ચકચારીત નાસીર નગર ભુતિયા ડિમોલીશનને લઈ હવે અધિકારીઓ સાથે પદાધિકારીઓ પણ ખોખો રમત રમતા થઈ ગયા છે. ત્યારે દિવસો બાદ સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેનએ ફરી પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તપાસ કમીટીની રચના મનપા કમિશનરે કરી હોવાનુ અને તે કમીટી તપાસ કર્યા બાદ જે રિપોર્ટ આપશે તેના આધારે મનપા કમિશનર પગલા લેશે તેવી ઉડાઉ વાતો કરી વહીવટી તંત્ર પર ખો નાંખી દીધો હતો. જો કે પત્રકારોએ સવાલોનો મારો ચલાવતા જ અધવચ્ચે રાજન પટેલે પત્રકાર પરિષદ છોડી દીધી હતી અને ચાલતી પકડતા મીડિયા કર્મીઓ પણ તેઓ પાછળ પડ્યા હતા. પરંતુ રાજન પટેલે આખરે પાલિકા કચેરીમાંથી જ નિકળી જવાનુ મુનાસીબ માની લીધુ હોય તેમ તેઓ કારમાં બેસી રવાના થઈ ગયા હતાં.
