સુરતમાં કેન્ડલ માર્ચનું આયોજન કરાયું
આંતકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરાયું
મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરાયો
સુરતના ઉન વિસ્તારમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા કશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતના ઉન વિસ્તારમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા કશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ને સનાબીલ ચાર રસ્તા પાસે ભેગી થઈને કેન્ડલ હાથમાં લઈને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો.આ અંગે નજમાબેને જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના સરકાર માટે શરમજનક છે કાશ્મીરમાં સિક્યુરિટી નો અભાવ છે અને આ ઘટના બન્યા પછી સરકાર તાત્કાલિક એક્શન લે તેવી પણ માંગ કરી હતી તેની સાથે જ હિન્દુ મુસ્લિમ ના ભાઈ ચારાની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સુરતમાં હિંદુ મુસ્લિમ એક થઈને વસવાટ કરી રહ્યા છે પરંતુ આ હુમલામા રાજનીતિ દ્વારા હિન્દુ મુસ્લિમમાં નફરત ફેલાવવાનું કામ કરાઈ રહ્યું છે.