જામનગર જેસીસી હાર્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં

Featured Video Play Icon
Spread the love

જામનગર જેસીસી હાર્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં
બાલંભા ગામના યુવકને ગંભીર હાર્ટની બીમારી કહી 6 લાખ પડાવ્યા
એક મહિના સુધી સારવાર આપી પણ યુવકની તબિયત હજુ ખરાબ

જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ હોસ્પિટલમાં બિન જરૂરી હાર્ટની સારવાર કરવામાં આવી હોવાનું સરકારની તપાસમાં ખૂલવા પામ્યા પછી સરકારે હોસ્પિટલ અને ડોક્ટરને સસ્પેન્ડ કર્યા પછી નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. વધુ એક યુવાને પોતાના પિતાનું આ હોસ્પિટલની સારવારમાં મૃત્યુ થયાની પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે.

જામનગરમાં પીએમ-જેએવાય કાર્ડની હાર્ટને લગતી સારવારના 153 કેસોમાં બિન જરૂરી સારવાર કરનારી અને સરકારે સસ્પેન્ડ કરેલી JCC હાર્ટ ઈન્સ્ટિટ્યુટ હોસ્પિટલમાં સ્ટેન્ટ મુકાવવાની સારવાર લેનારા એક વેપારીની તબીયત ક્યારેય નહી સુધર્યાના દાવા સાથે ગત તા.1 નવેમ્બરે મૃત્યુ પામેલા વેપારીના પુત્રએ સીટી-એ ડિવીઝન પોલીસ મથકમાં અરજી કરીને તપાસ માંગી છે. પોલીસમાં તપાસ માંગતી આ બીજી અરજી થઈ છે. આગામી દિવસોમાં વધુ લોકો હિંમત કરીને આગળ આવે તેવી શક્યતા છે. આટલા મોટા કાંડમાં સરકાર દ્વારા કોઈ કડક પગલા લેવાયા નહી હોવાનો સૂર પણ ઉઠવા પામ્યો છે. આ જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ હોસ્પિટલ અંગે કોઈને ગંભીર બીમારી ન હોવા છતાં ઓપરેશની કરીને મોટા ચાર્જ વસુલતા હોય તેવું અખબારમાં આવેલું હોવાથી હિન્ડોચા પરિવારને પણ દહેશત છે કે, પિતા રસિકકુમારને નોર્મલ શ્વાસની બિમારી હોય અને ખોટો ડર બતાવી ને ઓપરેશન કરીને સ્ટેન્ટ બેસાડેલો હોવાની શક્યતા છે. તેથી આ જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ અને ડોક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવવામાં આવે. જામનગરમાં પોલીસને થયેલી આ બીજી અરજી છે. આ મામલાઓમાં સત્ય બહાર લાવવા તટસ્થ તપાસ થાય તેવી લોક અપેક્ષા રાખી રહયા છે.આ હોસ્પિટલ ના અન્ય ભાગીદારોએ તો આ કથિત કોભાંડમાંથી પોતાના હાથ ઊંચા કરી દીધા છે. અને હાર્ટ વિભાગ ડો.પાર્શ્વ વોરા સંભળાતા હોવાથી પોતે સમગ્ર બાબતથી અજાણ હોવાનું જણાવી દીધું છે. જ્યારે સ્થાનિક સરકારી તંત્ર પણ જણાવે છે, કે પીએમજેએવાયની કાર્યવાહી સીધી પોર્ટલ પર થતી હોવાથી સમગ્ર પ્રક્રિયાથી સ્થાનીક તંત્ર અજાણ હોય છે. જોકે આ અંગે સ્થળ પર રોજકામ કરીને સરકારને મોકલી દેવામાં આવ્યું છે.

જામનગરના મોમાઈનગરમાં રહેતા રવિ રસિકભાઈ હિન્ડોચાએ તા. નવેમ્બરના સીટી-એ ડિવીઝન પોલીસ મથકમાં જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ સામે સવાલો ઉઠાવતી અરજી કરીને જણાવ્યું છે કે, તેના પિતા હિન્ડોચા રસિકકુમાર વલ્લભદાસને સામાન્ય શ્વાસ ચડવાની તકલીફ હોવાથી તા.17 ફેબ્રુઆરીના રોજ જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. ત્યારે જેસીસી હાર્ટ ઈન્સ્ટિટ્યુટ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે હાર્ટની તકલીફ છે.માટે સ્ટેન્ટ બેસાડવું પડશે.હાર્ટની સારવાર -સ્ટેન્ટ બેસાડ્યા પછી બીજા દિવસે હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.પરંતુ રસિકભાઈ ને કોઈ જાતનો સુધારો ન થયો હોવાથી તેમજ શ્વાસ ચડવાની જુની તકલીફ તો ચાલુ જ રહેતાં હોસ્પિટલમાં અવાર-નવાર દેખાડવા ગયા હતા. પરંતુ હોસ્પિટલ દ્વારા કોઈપણ જાતનો યોગ્ય જવાબ કે સારવાર અપાઈ ન હતી. સ્ટેન્ટ બેસાડવા છતાં રસિકભાઈનું તા.1નવેમ્બરના રોજ અવસાન થયું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *