નવસારી તાલુકામાં નશીલપોર વિરવાડી ગામે દીપડો પાંજરે પુરાયો,
દીપડાને પકડવા ખેતરમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું
નવસારી તાલુકામાં નશીલપોર વિરવાડી ગામે દીપડો પાંજરે પુરાયો,
નવસારીના નશીલપોર વિરવાડી ગામમાં ખેતર તેમજ વાડી છેલ્લા ઘણા દિવસ દિપડો દેખાવા ધટના બનતી હતી, નવસારી સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ આ અંગે જાણ કરતા વનવિભાગ દ્વારા મેહુલ એન પટેલ જાણ કરતા પાંજરૂ ગોઠવવા અંગે કાર્યવાહી હાથ ધરી હતી, વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર મોનાલી પટેલ તથા દશરથભાઈ ખેતરમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું, આજે વહેલી સવારે શિકારની શોધમાં આશરે સાડા પાંચ વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો, દીપડો પાંજરે પુરાતા વન વિભાગને આ અંગે જાણ કરતા દિપડાનો કબજો લેવામાં આવ્યો હતો. વિરવાડી નશીલપોર દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો
દીપડાને જરૂરી તબીબી તપાસ બાદ જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે…
