ભારત સરકારના ભૂતપુર્વ સલાહકાર અને આઈઆઈટીયન વિપ્ર ગોયલ

Featured Video Play Icon
Spread the love

ભારત સરકારના ભૂતપુર્વ સલાહકાર અને આઈઆઈટીયન વિપ્ર ગોયલ
વિપ્ર ગોયલએ સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી
લોકોમાં જાગૃતિ જ ભારતીય યોજનાઓના અમલીકરણમાં ગતિ લાવશે.

ભારત સરકારના ભૂતપુર્વ સલાહકાર અને આઈઆઈટીયન વિપ્ર ગોયલએ સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યુ હતુ કે લોકોમાં જાગૃતિ જ ભારતીય યોજનાઓના અમલીકરણમાં ગતિ લાવશે.

નીતિ આયોગ અને ઈશરોમાં સંશોધન કરી ચૂકેલા અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ સામાજિક અસર પુરસ્કાર મેળવનારા આઈઆઈટીયન વિપ્રા ગોયલે સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. અને કહ્યુ હતુ કે સુરતને તેમના રાષ્ટ્રવ્યાપી જળ, ઊર્જા, રોજગાર, બજાર સાથે સ્વ-નિર્ભરતા જનજાગૃતિ અભિયાનના ભાગ રૂપે વિવિધ રાષ્ટ્રીય યોજનાઓથી વાકેફ કરવાનો હતો. તેમણે સમજાવ્યું કે ગુજરાતમાં 1980માં કલ્પના કરાયેલ પાર, તાપી, નર્મદા ઈન્ટરલિંકિંગ પ્રોજેક્ટ, દક્ષિણ ગુજરાતમાં આશરે 135,000 કરોડ લિટર પાણી સંગ્રહિત કરશે, જે દક્ષિણ ગુજરાતને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડશે. પશ્ચિમ તરફ વહેતી નદીઓનું આ મોટાભાગનું પાણી હવે અરબી સમુદ્રમાં વહે છે. ડીપીઆર મુજબ સુરત જિલ્લાને પણ આ પ્રોજેક્ટનો લાભ મળવાનો હતો. આ પ્રોજેક્ટથી આશરે 2.32 લાખ હેક્ટર જમીનને આખું વર્ષ સિંચાઈ પૂરી પાડવામાં આવતી હતી.

જોકે, સ્થાનિક લોકોના વિરોધને કારણે આ પ્રોજેક્ટ હાલમાં વિલંબિત છે. તેવી જ રીતે પશ્ચિમ રાજસ્થાનમાં જે આજે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર જેવું જ છે, આશરે 8 લાખ હેક્ટર જમીનને બારમાસી સિંચાઈ પૂરી પાડવા માટે એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો. શારદા, યમુના, રાજસ્થાન, સાબરમતી લિંક પ્રોજેક્ટ, જે 786 કિલોમીટર લાંબી મુખ્ય નહેર બનાવતો હતો, તે લગભગ 15 વર્ષથી અટકી પડ્યો છે. તેવી જ રીતે, પૂર્વ રાજસ્થાનમાં ચંબલ નદી જે આજે યમુના અને ગંગા સાથે ભળી જાય છે અને બંગાળના ખાડીમાં નકામા રીતે વહે છે તેનું મોટાભાગનું પાણી રાજસ્થાનના પૂર્વ ભાગમાં 13 જિલ્લાઓમાં વાળવાનું હતું, જે પૂર્વ રાજસ્થાનમાં આશરે 2.5 લાખ હેક્ટર જમીનને બારમાસી સિંચાઈ પૂરી પાડશે. વિપ્રાએ એ પણ સમજાવ્યું કે કેવી રીતે, જાહેર જાગૃતિના અભાવે, ગુજરાતના છાયા, મીઠીવિરડી પરમાણુ વીજ પ્લાન્ટને દાયકાઓ સુધી પ્રાદેશિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો તેમ પત્રકાર પરિષદમાં કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *