મહારાષ્ટ્રના માલેગાંવના ડોંગરાલેમાં બાળા પર બળાત્કાર
સુરતમાં કલેકટર થકી વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને આવેદન પત્ર
આરોપી સામે કડક સજાની માંગ કરાઈ
મહારાષ્ટ્રના માલેગાંવના ડોંગરાલેમાં ચાર વર્ષીય માસુમ બાળા પર બળાત્કાર ગુજારી તેની કરાયેલી ઘાત્કી હત્યાના વિરોધમાં સુરતમાં કલેકટર થકી વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપી આરોપી સામે કડક સજાની માંગ કરાઈ હતી.
મહારાષ્ટ્રના માલેગાંવ ડોંગરાલેમાં ચાર વર્ષીય માસુમ બાળા પર બળાત્કાર ગુજારી તેની ઘાત્કી હત્યા કરી દેવાતા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અખિલ ભારતીય સેના સુરત દ્વારા નરાધમ હત્યારાને ફાંસી આપવાની માંગ કરાઈ હતી. અખિલ ભારતીય સેના સુરત દ્વારા સુરત કલેકટર થકી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત ઉચ્ચ અધિકારીઓને સંબોધીને આવેદન પત્ર આપી આરોપી સામે કડકમાં કડક અને વહેલી તકે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી
