સુરત કતારગામ પોલીસ મથકમાં હત્યા નાસતા ફરતો આરોપી
હત્યાના ગુનામાં 24 વર્ષથી નાસતા ફરતો આરોપી
ઓરિસ્સાના ગંજામના સંતોષનાથ ઉદયનાથ પ્રધાનને ઝડપ્યો
સુરત કતારગામ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં 24 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શરીર સંબંધી ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એનડીપીએસ સ્કોડની ટીમે બાતમીના આધારે ઉધના પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં 24 વર્ષથી નાસતા ફરતા આરોપી એવા ઓરિસ્સાના ગંજામના સંતોષનાથ ઉદયનાથ પ્રધાનને ગંજામ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો ઉધના પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
