સોનગઢ હાઇવે પર ખાડાને લઈ અકસ્માતો
એક ખાડો બચાવવા જતા ટ્રકનું અકસ્માત
ટોલ ટેક્સ કેમ બંધ નથી કરી દેવામાં આવતો ?
સોનગઢ હાઇવે પર ખાડાને લઈ ગતરોજ અકસ્માતો થયા હતા અને અત્યારે એક ખાડો બચાવવા જતા ટ્રકનું અકસ્માત થયું છે
સોનગઢ ગામમાં આવેલ સુરત ધુલિયા નેશનલ હાઈવે પર બધા ખાડાઓના કારણે ખાડો બચાવવા જતા એક ટ્રકની પાછળ બીજી ટ્રક થી અકસ્માત થયો છે. ત્યારે સ્થાનિક વાહન ચાલકોમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ટોલટેક્સ વસૂલવા માટે કંપની તૈયાર છે મોટા ટોલો લઈ છે અને આ રોડ રીપેર કરવામાં આટલો વિલંબ કેમ થાય છે શું કારણ છે જે આ રોડ રિપેર નથી થતા તંત્ર કેમ ધ્યાન નથી દોરતું આ જ રોડ પરથી ધારાસભ્ય અધિકારીઓ બધા જ આવજાવ કરે છે તેમ છતાં રોડની હાલત આવી કેમ ? જો રસ્તા જળવાતા ન હોય તો આ ટોલ ટેક્સ કેમ બંધ નથી કરી દેવામાં આવતો ? સોમા કંપનીની બેદરકારીને કારણે હાઇવે પર મુસાફરી કરવી ખરેખર મરણ જનક સમાન બની ગઈ છે ત્યાંરે અકસ્માત થયેલ ટ્રક ડ્રાઈવર મૌત થી લડી રહીયો છે હજુ કેટલા ની જીવ ની ભોગ લેશે આ માંડળ ટોલ પ્લાઝા અને લોકો હવે કંટાળાઈ ગયા છે ત્યારે સ્થાનિક મંત્રી અને તંત્ર ને ધ્યાન એ લેવું જોઈએ પરંતુ સોમા કંપનીના આ માંડળ ટોલ સામે તો આ તંત્ર પણ કશું નથી કરી શકતું એમ છે કારણકે વારંવાર લોકોની મીડિયા મારફતે ફરિયાદો પછી પણ આ રોડનું સમારકામ થતું નથી એમ કહી શકાય કે તંત્ર અને સ્થાનિક મંત્રી ઓ પણ મજબૂર છે સોમા કપનાનીના મંડળ ટોલ પ્લાઝા સામે હવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે કે રોડ સમારકામ થાય પણ હવે હજુ કેટલા એક્સિડન્ટ થશે કેટલા ના ભોગ લેશે આ રસ્તો અને ક્યારે આ રોડનો નિકાલ આવશે અને કેટલા ઘર દુખી થશે?એતો ફક્ત સોમા કપની મંડળ ટોલ પ્લાઝા જ કરી શકે એમ છે.
