સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન
સપોર્ટ ચેતર વસાવાના સ્લોગન સાથે કાર્યક્રમ યોજાયો
મીની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે કાર્યક્રમ યોજાયો
કરોડો રૂપિયાનુ મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના ધારાસભ્ય અને આપના નેતા ચૈતર વસાવાની છબી ખરાબ કરવા અને જનહિતના પ્રશ્નો ઉઠાવતા તેમને રોકવા ખોટા કેસ કરાવી ધરપકડ કરાઈ હોય જેના વિરોધમાં સુરતમાં આપ દ્વારા આ સપોર્ટ ચેતર વસાવાના સ્લોગન સાથે કાર્યક્રમ યોજાયો હતો.
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યુ છે. કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની છબી ખરાબ કરવા અને ચૈતર વસાવાને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટો કેસ કરાવી પોલીસ પાસે ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી સુરત દ્વારા મીની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચેતર વસાવાના સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
