માંડવી મારુતિ નગર ખાતે ભગતબાપુની રામકથા
રામકથા 5 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરીના સુધી
જીવન ચરિત્રના અનેક જીવનમાં ઉતારવા લાયક દષ્ટાંતો
માંડવી મારુતિ નગર ખાતે આવેલ ચિત્રકૂટ ધામમાં વ્યાસપીઠ પરથી કથાકાર શ્રી ભગતબાપુ એમની અમૃતવાણી દ્વારા અનેક જીવનમાં ઉતારવા લાયક દ્રષ્ટાંતો રજૂ કર્યા
માંડવી મારુતિ નગર ખાતે આવેલ ચિત્રકૂટ ધામમાં તારીખ 5 ફેબ્રુઆરીના રોજથી ભગતબાપુની રામકથા ચાલી રહી છે આ કથાનો સમય બપોરે ત્રણ કલાકેથી સાંજે 6 કલાક સુધી કથા ચાલી રહી છે, આ રામકથા તારીખ 13 ફેબ્રુઆરી 2026 ના રોજ વિરામ લેશે. કથાના છઠ્ઠા દિવસે શ્રી ભગત બાપુ વ્યાસ પરથી એમની અમૃતમય મધુરવાણી દ્વારા જણાવ્યું હતું કે, આ રામકથા સાંપ્રત યુગમાં લોકોના જીવનને પરિવર્તન તથા હદય પરિવર્તન તથા યુવાનો માતા બહેનો વડીલો માટે તથા તમામ યુવાનો સનાતનની બને એ જાગૃતિ માટે આ કથા યોજવામાં આવી રહી છે જેમા માતા અહલ્યાબાઈ, સીતા માતા, ગંગા માતા તેમજ ભગવાનશ્રી રામના જીવન ચરિત્રના અનેક જીવનમાં ઉતારવા લાયક દષ્ટાંતો રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા….
