જાફરાબાદના નાગેશ્રી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો
સિંહ અને દીપડાઓનો આતંક જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો
જાફરાબાદના નાગેશ્રી ગામે વન્ય હિંસક પ્રાણીઓનો વધારો જોવા મળતા ગ્રામજનો પરેશાન થયા છે ત્યારે સિંહ અને દીપડાઓનો આતંક જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે
સિંહ અને દિપડાઓ અવાર નવાર માનવ ભક્ષી પણ બન્યા છે એવા કિસ્સા નાગેશ્રીમાં ઘણા બન્યા છે. જ્યાં દિપડાઓ અવાર નવાર માનવને ઈજા પહોચાડે છે ત્યારે બાળકોને ભણવા જવા માટેનો બહુ મુશ્કેલ થાય છે.. નાગેશ્રી વાડી વિસ્તારમાં અંદાજે 1500 લોકો કાયમી માટે વસવાટ કરે છે લોકોની માંગ છે કે દીપડાઓ અને સિહોને પાંજરે પુરી અને જંગલ વિસ્તારમાં લઈ જાય , અહીંના લોકોને હંમેશા માટે વાડી વિસ્તારમાં કાયમી માટે કામ કરવાનુ હોય છે અને અવારનવાર ગામ તરફ જવા માટે જવાનું થતું હોય છે માટે દીપડા પકડી જાય તો કાયમી માટે ખેડુને ભય દૂર થઈ જાય તેમાં રાતના સમયે નીકળવા માટે ખેડૂતોને તો કાળના મોહમાંથી પસાર થવા જેવું લાગે છે….
વન વિભાગ વારંવાર દીપડાઓને પાંજરે પુરીને લઈ તો જાય છે પણ પ્રશ્ન તો તેનો એ જ આવી ઉભો રહેશે, ખેડૂતોની માંગ છે કે દીપડાઓ હિંસક પ્રાણીઓથી કાયમી મુક્તિ મળે…નાગેશ્રીમાં બાગાયત ખેતી ઘણી છે અને બાળકોને ભણવા જાવા માટે કાયમી ભય રહેશે ખેડૂતોની એવી માંગશે પાંજરા મૂકી અને દીપડાઓ અને સિંહને પકડી જાય તો ખેડૂત ભયથી મુક્ત થાય….મહેશ બારૈયા – અમરેલી
