સુરતમાં દશામાના વ્રતનું ભક્તિભાવપૂર્વક સમાપન
ભક્તોએ માતાજીને આપી વિદાય
દસ દિવસની પૂજા-અર્ચના બાદ દશામાની પ્રતિમાનું ઉત્સાહભેર વિસર્જન
કૃત્રિમ ઓવારા ખાતે રાત્રે 12 વાગ્યાથી દશામાની પ્રતિમાનું વિસર્જન
સુરતમાં દશામાના વ્રતનું ભક્તિભાવપૂર્વક સમાપન થયું છે. દસ દિવસ સુધી માતાજીની પૂજા-અર્ચના કર્યા બાદ ભક્તોએ ઉત્સાહભેર દશામાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. શહેરના કૃત્રિમ ઓવારા ખાતે રાત્રે 12 વાગ્યાથી વિસર્જન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભક્તોએ ભક્તિ અને શ્રદ્ધા સાથે માતાજીને વિદાય આપી હતી.
સુરતમાં દશામાના વ્રતનું ભક્તિભાવપૂર્વક સમાપન થયું છે. દસ દિવસ સુધી ભક્તોએ દશામાની સ્થાપના કરી માતાજીની પૂજા-અર્ચના કરી હતી. વ્રત પૂર્ણ થયા બાદ ભક્તોએ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે માતાજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. કૃત્રિમ ઓવારા ખાતે રાત્રે 12 વાગ્યાથી વિસર્જન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. માતાજીના જયઘોષ સાથે ભક્તોએ ભાવભીની વિદાય આપી અને આગામી વર્ષે ફરી માતાજીના આગમનની કામના કરી હતી.
