ભાવનગર સરકારી હોસ્પિટલ શોભાના ગાઠિયા સમાન
ઇંજેક્શન દર્દીને બહારથી દવા લખી આપવામાં આવે છે
ભાવનગર કુંભારવાડા સર્કલ પાસે સરકારી હોસ્પિટલ આવેલ છે તે ફક્ત શોભાના ગાઠિયા સમાન છે
ભાવનગર કુંભારવાડા સર્કલ પાસે સરકારી હોસ્પિટલ આવેલ છે તે ફક્ત શોભાના ગાઠિયા સમાન છે ત્યાં તપાસ કરતા નથી દવા કે નથી કોઈ પ્રકાર. ના શક્તિના બાટલા કે નથી કોઈપણ પ્રકારના ધનુરના કે પથરીના દુખાવાના કે અન્ય ઇંજેક્શન દર્દીને બહારથી દવા લખી આપવામાં આવેછે ઇંજેક્શન કે બાટલા પણ બહાર મેડિકલ માંથી દર્દીના સગા ને પોતાના ખર્ચે લાવવું પડે છે. આ હોસ્પિટલ નું જેણે ઉદ્ઘાટન કર્યું છે તેને શરમાવે તેવી સરકારી હોસ્પિટલ છે. કારણકે અહીં કુંભારવાડા. મોતીતળાવ. મિલનિચાલી ગઢેચી રોડ માઢીયારોડ. અક્ષરપાર્ક હાઉસિંગબોર્ડ વિગેરેથી દર્દી આવતા હોયછે અને આ વિસ્તાર મજૂર એરિયાછે તેથી કોઈ ફરિયાદ કરતું નથી અને હમણાજ આ વિસ્તારમાં 8 કોર્પોરેટર ચૂંટાયા છે તેમાંથી એક પણ નગરસેવક ને ધ્યાનમાં આવતું નથી અને જન્મ અને મરણના દાખલા અહીં નીકળતા હતા ચૂંટણી પછી તે પણ બંધ કરીદેવામાં આવ્યું છે હવે જનતા પરેશાન છે કે આની ફરિયાદ કોને કરવી ..
