સુરતની મહિધરપુરા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
ગુમ થયેલા કે ચોરાયેલા રિકવર કરાયેલા 48 જેટલા મોબાઈલ પરત કરાયા
48 મોબાઈલ ફોન મુળ માલિકોને પરત કરાયા
સુરતની મહિધરપુરા પોલીસ દ્વારા ગુમ થયેલા કે ચોરાયેલા રિકવર કરાયેલા 48 જેટલા મોબાઈલ મુળ માલિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી પરત કર્યા હતાં.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના મુજબ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિસનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આહીર દ્વારા પ્રજાજનને મદદરૂપ થઈ તેઓના પ્રશ્નોનુઉકેલ લાવવા આપેલી સુચનાને લઈ પીઆઈ એનએચ બ્રહ્મભટ્ટની ટીમ પીએસઆઈ એસએ આસનાનીના માર્ગદર્શન હેઠળ તપાસ કરી મહિધરપુરા પોલીસે ચોરાયેલા કે ખોવાયેલા 48 જેટલા મોબાઈલ ફોન રિકવર કર્યા હોય જે મોબાઈલ ફોન તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લાખથી 65 હજારની કિંમતના 48 મોબાઈલ ફોન મુળ માલિકોને પરત કરતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
