સુરતમાં 10 હજારના ઈનામી અને હત્યાના ગુનામાં વોન્ટેડ
15 વર્ષથી નાસતા ફરતા આરોપીને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો
આરોપી રાજકુમાર જયકૃષ્ણ પટેલ ઝડપી પાડ્યો
સુરતમાં 10 હજારના ઈનામી અને હત્યાના ગુનામાં 15 વર્ષથી નાસતા ફરતા આરોપીને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ પીસીબીની ટીમ પીઆઈ સુવેરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએશઆઈ હસમુખ અને અહેકો અશોક લુણીને મળેલી બાતમીના આધારે કામરેજ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોજી કે જેના પર 10 હજારનો ઈનામ પર રખાયો હોય તે રાજકુમાર જયકૃષ્ણ પટેલ હાલ તમિલનાડુમાં હોવાની મહિતી મળતા પીસીબીની ટીમના એએશઆઈ હસમુખભાઈ તથા અહેકો અશોકભાઈ ટીમ સાથે તમિલનાડુ ગયા હતા અને ત્યાંથી આરોપી રાજકુમાર જયકૃષ્ણ પટેલ ઝડપી પાડ્યો હતો. અને તેને સુરત ાવી તેનો કબ્જો સુરત ગ્રામ્યની કામરેજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
