માંડવી ગરેડીયા પુલની રી કન્સ્ટ્રક્શન કામગીરીનો પ્રારંભ કરાયો.
7 કરોડના ખર્ચે રિકન્ટ્રક્સન નવનિર્મિત પુલના કાર્યની શરૂઆત કરાય
માંડવી ગરડીયા પુલ રૂપિયા 7 કરોડના ખર્ચે રિકન્ટ્રક્સન નવનિર્મિત પુલના કાર્યની શરૂઆત કરાય
આ અંગે થોડા દિવસ અગાઉ સુરતના અધિક કલેક્ટર વિજયભાઈ રબારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને માંડવી ગેટ આર એન્ડ બી વિભાગ દ્વારા ડાઈવર્ઝન બોર્ડ અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા છે. જેમાં કિમરોડ વાહન ચાલકો માટેખેડપુર અગ્રેશ્વર મહાદેવ ના પુલ પાસેથી તેમજ નેત્રંગ રોડ માટે નવા પુલ પરથી ડાયવર્ઝન આપતા બોર્ડ પર મૂકવામાં આવેલ છે. આ રી કન્સ્ટ્રક્શન નું કાર્ય 7 1 2026 થી 11 10 2026 ચાલશે. આ પુલ અંગે ઘણા સમયથી નવો બનાવવા લોક ઉઠવા પામી હતી જેને અનુલક્ષીને સરકાર દ્વારા રૂપિયા 7 કરોડના ખર્ચે મંજૂર કરેલ છે જેને લઇ આ વિસ્તારમાં ખુશી જોવા મળી રહી છે આ કાર્ય માંડવી સ્ટેટ આર.એન્ડ બી વિભાગ દ્વારા તેમની નિગરાની હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે..
