ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ ટુર પેકેજની જાહેરાત

Featured Video Play Icon
Spread the love

ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓ માટે વિશેષ ટુર પેકેજની જાહેરાત
સોમનાથ દર્શન, નડાબેટ, વડનગર અને મોઢેરા સૂર્યમંદિર ટૂર પેકેજ જાહેર
જીએસઆરટીસી નીએસી વોલ્વો બસના નિયમિત પેકેજની 28 એપ્રિલથી શરૂઆત થશે

ગુજરાત એસટી નિગમની મહાકુંભની સફળતા બાદ ગુજરાતના પ્રવાસન વિભાગે એક ટૂર પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ 2 દિવસ અને 1 રાત્રિનું રહેશે.ટૂર પેકેજ એસીવોલ્વો બસમાં મુસાફરી કરવાની રહેશે.

કુંભ સ્નાન બાદ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના પ્રવાસન સ્થળો માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.સોમનાથ દર્શન અને નડાબેટ-વડનગર-મોઢેરા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરાશે. GSRTCની અધ્યતન AC વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ સહિતની સુવિધા રહેશે.સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો પર લઇ જવામાં આવશે.સિંગલ શેરિંગનો ચાર્જ ₹ 4 હજાર, ડબલ શેરિંગના ₹ 7500 ચૂકવવાના રહેશે. સોમનાથ દર્શન ટુર પેકેજની જો આપણે વાત કરીએ તો 28 એપ્રિલથી અમદાવાદથી સવારે 6 કલાકે, એસટી વોલ્વો બસ ઉપડશે. જે બપોરના 4 કલાકે સોમનાથ પહોંચશે. બીજા દિવસે પરત ફરવાનું રહેશે. પેકેજ 2 દિવસ/ 1 રાત્રિનું છે.

વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર અમદાવાદથી સવારે 9 :00 કલાકે ઉપડી, 11 : 15 કલાકે વડનગર અને 5 : 30 વાગ્યે મોઢેરા પહોંચશે. ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. 1100 રહેશે.
તમામ ટુર પેકેજમાં લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીઓનો રહેશે. ટુર પેકેજમાં ટ્રાવેલ તથા રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.in થી કરી શકાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *