સાબરકાંઠા વડાલી સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો.

Featured Video Play Icon
Spread the love

સાબરકાંઠા વડાલી સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો.
આપઘાત કરનાર પરિવારની દીકરીનો વીડિયો આવ્યો સામે.
પિતાને કેટલાક લોકો રાત્રે જ મારવાની વાત કરતા હોવાના આક્ષેપ.

સાબરકાંઠા (Sabarkantha)ના વડાલી (Vadali) માં સામૂહિક આપઘાત (Mass Suicide) મામલે પરિવારની એકમાત્ર જીવિત દીકરીનો વીડિયો વાયરલ થયો છે.

સાબરકાંઠા (Sabarkantha)માં વડાલીમાં આપઘાત કરનાર દીકરીનો વીડિયો સામે આવ્યો છે. પરિવારમાં એકમાત્ર જીવિત દીકરી વાયલ વીડિયો (Viral Video )માં આપઘાત અંગે જણાવી રહી છે. કેટલાક લોકો મારા પિતાને મારવાના હતા, મારા પિતાને જીવનું જોખમ હતું. વ્યાજખોરોના ત્રાસથી આખરે પરિવારે આપઘાતનો નિર્ણય કર્યો હતો . આપઘાત વિશે વધુ જણાવતા કહે છે કે પહેલા કુવા પર આપઘાતનો પ્લાન કર્યો હતો, પછી આખરે ઘરે જ પરિવારે સામૂહિક આપઘાત (Mass Suicide) કર્યો હતો. વડાલીમાં આપઘાતને પગલે ઉત્તર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. સગર પરિવારના 5 પૈકી 4 સભ્યોના મોત થઇ ચુક્યા છે. તેમજ કેવી રીતે આપઘાત કર્યો તે અંગે ખુલાસો કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડાલી પોલીસે બે વ્યાજખોરો સામે 5 દિવસ બાદ ફરિયાદ નોંધી છે.

બે વ્યાજખોરો સામે વડાલી પોલીસે આખરે 5 દિવસ બાદ ફરિયાદ નોંધી છે. પાંચ સભ્યોના પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થઈ ચુક્યા છે. બચી ગયેલી એક દીકરી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. વડગામડાના અંકિત નારાયણ પટેલ, હાથરવાના ભદ્રરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સગર પરિવારના પતિ-પત્નીના મોત બાદ 3 બાળકો સારવાર હેઠળ હતા. જેમાં 2 બાળકોના મોત નિપજતાં સમગ્ર પરિવાર આઘાતમાં છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *