સુરતમાં ઠગાઈના ગુનામાં 16 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઠગાઈના ગુનામાં 16 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
લીંબાયત પોલીસે આરોપીને યુપીના ચિત્રકૂટથી પકડી પાડ્યો

સુરતની લીંબાયત પોલીસે વર્ષ ૨૦૦૯માં રોકડા ૫ લાખ લઇ પરત નાં કરનારા આરોપીને યુપીના ચિત્રકૂટથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે લીંબાયત પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનરે શહેરમાં ગંભીર ગુનાઓ આજની નાસ્તા કરતા આરોપીઓને પકડી પાડવા આદેશ આપ્યા છે જે અનુસંધાને લિંબાયત પોલીસ ની ટીમ પેટ્રોલમાં હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વર્ષ 2009 માં પાંચ લાખ રૂપિયા લઈ જાય પરત ન આપી ઠગાઈ કરનાર આરોપી ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ખાતે છે જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી ત્યારે રમાકાંત ઉર્ફે લાલા ઇન્દ્રપાલ મિશ્રાની પોલીસે ચિત્રકૂટ માંથી ધરપકડ કરી છે પકડાયેલ રમાકાંતને પૂછપરછ માં સામે આવ્યુ હતું કે ના આવે વર્ષ 2009 માં નમો નારાયણ ત્રિપાઠી એ ઉધના સોશિયલ સર્કલ પાસે એચડીએફસી બેન્ક માં પૈસા ઉપાડવા માટે પોતાની બાઈક સાથે પાંચ લાખનો બેરલ ચેક આપી રમાકાંતને મોકલ્યો હતો ત્યારે રમાકાંત બેંકમાંથી ચેક વડે પૈસા ઉપાડી રોકડ પાંચ લાખ તથા બાઇક લઇ પરત આવ્યો ન હતો અને વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયો હતો આરોપી પોતાની ધરપકડતાડવા ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો ત્યારે 16 વર્ષે લીંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *