સુરત રેલવેએ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સામાન પરત કર્યો
ટ્રેનોમાં અને રેલ્વે સ્ટેશનો પર મુસાફરોના ચોરાયેલ સામાન
મોબાઈલ ફોન પરત મળતા મુળ માલિકોએ પોલીસનો આભાર માન્યો
ટ્રેનોમાં અને રેલ્વે સ્ટેશનો પર મુસાફરોના ચોરાયેલા કે ખોવાયેલા સામાનને શોધી કાઢ્યા બાદ રેલ્વે પોલીસ દ્વારા મુળ માલિકોને તેઓનો મુદ્દામાલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કર્યો હતો. મોબાઈલ ફોન પરત મળતા મુળ માલિકોએ પોલીસનો આભાર માન્યો હતો.
રેલ્વે સ્ટેશનો કે ટ્રેનોમાં મુસાફરોના સામાનની ચોરી થતી હોવાની સાથે સામાન ખોવાઈ જતો હોવાની ફરિયાદો થતી હોય છે. ત્યારે પશ્ચિ રેલ્વે સુરત વિભાગના સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશનો દ્વારા સીઈઆઈઆર પોર્ટલ દ્વારા મોટી સંખ્યામાં મોબાઈલ શોદી કાઢ્યા હોય જે મોબાઈલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મુળ માલિકોને પરત કરાયા હતા જે મોબાઈલ પરત મળતા મુળ માલિકો દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.
