વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર વિખેરાયો

Featured Video Play Icon
Spread the love

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર વિખેરાયો
બાયડના આંટીયાદેવમાં પતિ-પત્નીએ ગળેફાંસો ખાધો
વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી દંપતીએ જીવન ટુકાવ્યું
ગત ૪ એપ્રિલે બનેલી ઘટના મામલે ૧૪ દિવસ બાદ ફરિયાદ
પુત્રએ માતાનો ફોન જોયા બાદ વીડિયો તેમજ પુરાવા મળતા ફરિયાદ નોંધાવી
દિવસના ૧૦ ટકા ઉપરાંત સહિતના વ્યાજના ચક્રમાં પરિવાર હોમાયો
બે દિવસ પહેલા સાબરકાંઠામાં પણ પરિવારે કર્યો હતો આપઘાત

અરવલ્લી જિલ્લના બાયડ તાલુકાના આટીયાદેવ ગામમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ આપઘાત કર્યો.પુત્રએ માતાનો ફોન જોયા બાદ વીડિયો તેમજ પુરાવા મળતા ફરિયાદ નોંધાવી હતી.

વડાલીના સગર પરિવારે વ્યાજખોરોના ત્રાસથી સામૂહિક આપઘાત કરી લેતાં 4 લોકોના મોતની ઘટનાની હજુ તો શ્યાહી સૂકાઇ નથી ત્યાં બાયડના આટીયાદેવમાં બે વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ પોતાના ઘરની પાછળ પતરાંના શેડથી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતાં ઘટનાના ૧૪ દિવસ બાદ મૃતકના પુત્રે મોબાઇલમાં સુસાઇડ નોટ અને વીડિયો મળતાં બે વ્યાજખોરો સામે બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આટીયાદેવમાં રહેતા અતુલ ભાઇ દિનેશ પટેલ તથા મીના અતુલ પટેલે તા. 4 એપ્રિલના રોજ રૂપિયાની લેતી દેતીમાં તથા બે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ સહન ન થતાં સુસાઇડ નોટ તથા વીડિયો બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં હલચલ મચી ગઈ હતી.

સવારના સમયે ઘરના સભ્યો પાછળ જોતાં પતિ પત્નીની પતરાંના શેડ નીચે લટકેલી હાલતમાં લાશ જોવા મળતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યો હતો. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતાં વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારે ઘટનાના 13 દિવસ બાદ સુસાઇડ નોટ તથા વીડિયોના આધારે મૃતક અતુલભાઇ ના પુત્ર ચિરાગભાઇએ બાયડ પોલીસમાં બે વ્યાજખોરો અતુલભાઇ શંકર પટેલ ગામ. રણેચી તાલુકા બાયડ તથા બબાભાઈ પૂંજા ભરવાડ ગામ. નવા શેઢા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દિવસના ૧૦ ટકા ઉપરાંત સહિતના વ્યાજના ચક્રમાં પરિવાર હોમાયો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સાબરકાંઠામાં પણ પરિવારે કર્યો આપઘાત હતો.હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *