મનપા નવનિયુક્ત કમિશનર એમ. નાગરાજને સંભાળ્યો સુરત મહાનગર પાલિકાનો ચાર્જ
ડ્રેનેજથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી વિકાસને વેગ આપવાનો નવનિયુક્ત કમિશનરનો સંકલ્પ
સુરત મહાનગર પાલિકાના નવનિયુક્ત કમિશનર એમ. નાગરાજને બુધવારના રોજ ચાર્જ સંભાળ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ સુરત મહાનગર પાલિકાના કમિશનરની બદલીનો ઓર્ડર કર્યો હતો. સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની જગ્યાએ એમ નાગરાજનને નિયુક્ત કરાયા હતાં. જેને લઈ આજે બુધવારના રોજ નવનિયુક્ત કમિશનર એમ. નાગરાજને કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તો ડ્રેનેજ, પાણી, રોડ રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિકાસના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે તેમ નવનિયુક્ત કમિશનરે જણાવ્યુ હતું.
