ભાવનગર મનપા દ્વારા યોજાયેલ જન કલ્યાણ શિબિરનો થયો ફિયાસ્કો
100 થી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી પરંતુ મહેમાનોના આવ્યા નહિ
ભાવનગર મનપા દ્વારા યોજાયેલ જન કલ્યાણ શિબિરનો થયો ફિયાસ્કો થયો.
પ્રજાને સરકારની યોજનાઓનો લાભ મળે તે હેતુથી જન કલ્યાણ શિબિરનું થયું આયોજન હતું આ જન કલ્યાણ શિબિરનો થયો ફિયાસ્કો થયો.
મનપા પરિસરમાં સ્ટેજ બનાવવામાં આવ્યું અને 100 થી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી પરંતુ મહેમાનોના આવતા કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો હતો. માત્ર 3 નગરસેવકોએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટય કરી કાર્યક્રમ પૂરો કરી નાખવામાં આવ્યો કાર્યક્રમમાં કોઈ મહેમાનો ન આવતા કાર્યક્રમને પૂરો જાહેર કરી મનપા પરિસરમાં લાભાર્થીઓ માટે કાઉન્ટર ઉપર યોજનાઓ શરૂ કરી દેવામાં આવી. મહત્વનું કહી શકાય કે મનપા દ્વારા આયોજન વગર કરવામાં આવતા કાર્યક્રમોમાં પ્રજાના રૂપિયાનો વેડફાટ થયો છે. મનપાના મહેકમ અધિકારીને આ અંગે પૂછતાં તેઓએ જણાવ્યું કે અમે મહેમાનો ને આમંત્રણ આપી દીધા હતા આવવું ન આવવું તેમની મરજી હોય છે..
