દાહોદમાં ચૈતરભાઈ વસાવાનું ભવ્ય સ્વાગત,
૫૦૦૦થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા
દાહોદ જિલ્લાના નવરચિત ગોવિંદ ગુરૂ લીમડી તાલુકામાં જય જોહાર પ્લે ગ્રાઉન્ડ ડુંગરી ખાતે આમ આદમી પાર્ટી ની ગુજરાત જોડો જનસભા માં આદિવાસી મસીહા તરીકે જાણીતા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નું લોકો જોરદાર સ્વાગત કરીયુ અને મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી
દાહોદ જિલ્લાના નવરચિત ગોવિંદ ગુરૂ લીમડી તાલુકામાં જય જોહાર પ્લે ગ્રાઉન્ડ ડુંગરી ખાતે આમ આદમી પાર્ટી ની ગુજરાત જોડો જનસભા માં આદિવાસી મસીહા તરીકે ગણાતા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા લોકો દ્રારા સાનંદાર સ્વાગત કરવામાં આવ્યું અને ભાજપ ક્રોંગ્રેસ અને બી ટી પી ને રામ રામ કરી ચૈતરભાઈ વસાવા હાથે ખેસ ધારણ કરી ૫૦૦૦ થી વધુ કાર્યકર્તા આમ આદમી પાર્ટી માં જોડાયા આમ ભાજપ ના ગઢ માં ગાબડું પડ્યું અને ચૈતરભાઈ વસાવા દ્રારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ગ્રામ પંચાયત માં ભ્રષ્ટાચાર અનેક યોજનાઓમાં દાહોદ માં કરોડોનું ભ્રષ્ટાચાર થયેલ છે તેવી વાત કરી પુર્વ મંત્રી અને તેમના પુત્રો પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના પર થયેલા ખોટા કેસ અને જેલવાસ દરમિયાન થયેલા અનુભવોની વાત કરવામાં આવી અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ની ચુંટણી લડવા અને ૨૦૨૭ ભાજપ ને ઉખેડી ફેંકવાનો પડકાર ફેકીયા હતો આમ આ પ્રોગ્રામ હાજરો જન મેદની ઉમટી પડી હતી જેલવાસ બાદ પહેલી વખત ચૈતરભાઈ વસાવા આવતા લોકો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને થાળા બિરશા મુંડા ચોક પર ઢોલ નગારા ડી. જે વગાડી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું બે કલાક સુધી ટ્રાફિક જામ નાં દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં નર્મદ જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારીઆ દ્રારા પણ ભાજપ ને આડે હાથ લીધા હતા અને આકરા પ્રહારો કર્યા હતા અને જેમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ રાકેશભાઈ બારીયા તેમજ નામી અનામી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો હાજર રહીયા હતા અને યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં પ્રચડ જનમેદની મા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ની આગેવનીમા હજારો યુવાનો વડીલો સ્વયંભૂ આમ આદમી પાર્ટી માં જોડાયા
