દાહોદમાં ચાર પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા

Featured Video Play Icon
Spread the love

દાહોદમાં ચાર પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા
નીટની પરીક્ષામાં ગેરહાજર પોલીસ કર્મીઓ સામે એસપીની કાર્યવાહી
ફરજ દરમિયાન ફરજ પર ગેરહાજર હોવાના કારણે સસ્પેન્ડ કરાયા
હસમુખ નાયકા, રાજેશવાઘજી,વિનોદ દિપસિંગ, નિલેશ કડકીયાને સસ્પેન્ડ કરાયા

દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મીઓને સોંપેલી ફરજ પર હાજર ન રહેતા આ મામલે પોલીસ અધિક્ષકે ગંભીર નોંધ લઈ ફરજ પર બેદરકારી બદલ ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને સુચારૂરૂપે પાલન થાય તે માટે પોલીસને ફરજ સોંપવામાં આવે છે. આ મામલે એસ.પી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પોલીસિંગને લઈ પહેલેથી જ ખૂબ જ કડકાઇ રીતે કામ કરે છે. યુટી દરમિયાન નાની મોટી ભૂલો ઉપર પોલીસ અધિક્ષક અવરનવાર પોલીસ કર્મીઓને મોટીવેટ પણ કરે છે અને ઠપકો પણ આપે છે. પરંતુ ફરજ પ્રત્યેની બેદરકારી મામલે કોઈપણ પ્રકારની પાછી પાણી કરવામાં આવતી નથી. તેઓ જ તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ અગાઉ લેવાયેલી NEET ની પરીક્ષામાં દાહોદ શહેરના તાલુકા પંચાયત પાસે આવેલા કેનેરા બેન્ક પાસેની બિલ્ડિંગમાં સ્ટ્રોંગરુમ બનાવવામાં આવ્યો હતો. જેમાં ગાડ ડયુટી તરીકે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ નાયકાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ વાઘજીભાઈ, વિનોદભાઈ દિપસિંગભાઈ, તેમજ નિલેશભાઈ કડકીયાની સ્ટ્રોંગ રૂમ પાસે ગાડી ડ્યુટી તરીકે ફરજ સોંપવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત ચારેય પોલીસકર્મીઓ ગેરહાજર રહેતા આ મામલે DYSP દ્વારા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ને રિપોર્ટ સુપરત કર્યો હતો. જે બાદ પોલીસવડાએ ચારેય પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *