લિંબાયતમાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો,
લિંબાયત પોલીસે આરોપીઓને ઝડપી રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું
સુરતના લિંબાયત વિસ્તારમાં લઘુશંકા માટે રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાયુ હતું.
સુરતના લિંબાયત વિસ્તારમાં રિક્ષા ચાલક પર જીવલેણ હુમલાની ગંભીર ઘટના બની હતી. જેમાં લઘુશંકા માટે રસ્તા કિનારે ઊભેલા રિક્ષા ચાલક પર અચાનક હુમલો કર્યો હતો. જેમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાયો હતો. તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. અને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. તો લિંબાયત પીઆઈ કામળિયાએ ગુનેગારોને કડક સંદેશ આપ્યો હતો કે ગુનો કરશો તો લંગડાતા ચાલવુ પડશે જેને લઈ પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ સ્પષ્ટ રીતે સામે આવી હતી.
