સુરતના હજીરા ખાતે ગંદા પાણીના કારણે મૃત માછલાઓ
મોરા ગામની ખાડીમાંથી મૃત માછલાઓ કિનારે આવતા ગ્રામજનોનો વિરોધ
મામલતદાર અને પોલીસ દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યાના આક્ષેપ
સુરતના હજીરા ખાતે આવેલા મોરા ગામની ખાડીમાંથી ગંદા પાણીના કારણે મૃત માછલાઓ કિનારે આવી જતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.
સુરતની ખાડીઓમાં ઈન્ડસ્ટ્રીયલો દ્વારા ગંદુ પાણી છોડાતા પાણી જન્ય જીવોના મોત થતા હોય છે. ત્યારે સુરતના હજીરા રોડના મોરાગામમાં ગંદુ પાણી ખાડીમાં છોડાતા મૃત માછલાઓ કિનારે તણાઈ આવ્યા હતાં. જેને લઈ ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો. અને મામલતદાર અને પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયા હતાં.
