સુરતની લિંબાયત પોલીસ દ્વારા ખંડણીનો ગુનો
ખંડણીના ગુનામાં અને હિન્દુ નેતાની હત્યાના આરોપીનું સરઘસ
યુસુફ પઠાણને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ
સુરતની લિંબાયત પોલીસ દ્વારા ખંડણીના ગુનામાં ઝડપી પાડેલા હિન્દુ નેતાની હત્યાના આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.
સુરતની લિંબાયત પોલીસ દ્વારા હિન્દુ નેતાની હત્યામાં ઝડપાયા બાદ જામીન પર બહાર આવેલા અને ખંડણી માંગનાર યુસુફ પઠાણને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી પોલીસે આરોપીઓને ચેતણી આપી હતી. ખંડણીખોર આરોપી યુસુફ પઠાણને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. તો આરોપી વિરૂદ્ધ ગુજસીટોકનો પણ ગુો નોંધાયો હોય સાથે લુણાવાડા પોલીસ મથકમાં 5.50 કરોડના સાયબર ફ્રોડમાં પણ સંડોવાયો હોવાનુ બહાર આવ્યુ છે. હાલ આરોપીની વધુ પુછપરછ લિંબાયત પોલીસે હાથ ધરી છે.
