આમ આદમી પાર્ટી સુરત શહેરના મહામંત્રી વિરુદ્ધ ફરિયાદ
ફઆઈઆર દાખલ કરી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપો
શહેર મહામંત્રી તુલસીભાઈ લાલૈયાની ધરપકડ
આમ આદમી પાર્ટી સુરત શહેરના મહામંત્રીને ખોટી રીતે એફઆઈઆર દાખલ કરી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપો કરાયા છે.
આમ આદમી પાર્ટી સુરત શહેર મહામંત્રી તુલસીભાઈ લાલૈયા અન્યાયની વિરૂધ્ધમાં લડાઈ લડી રહ્યા હોય તેમને ખોટી રીતે હેરાન કરવા અને આમ આદમી પાર્ટીના સાથીઓને ડરાવવા માટે ઓલપાડ પોલીસ દ્વારા ભાજપ પ્રેરિત ખોટી રીતે એફઆઈઆર દાખલ કરી તુલસીભાઈ લાલૈયાની ધરપકડ કરવાના બદઈરાદાથી અડધી રાતથી તેમના ઘરે ધામા નાંખ્યા હતા. અને સવારે તુલસી લાલૈયાની ધરપકડ કરી તેઓને લઈ જવાયા હોવાના આક્ષેપો કરાયા છે.
