ગુજરાત રાજ્યમાં વધુ એક બીએલઓનું મોત
મહેસાણાના સતલાસણામાં બીએલઓનું મોત
દિનેશ રાવળ નામના શિક્ષકનું હાર્ટ એટેકથી મોત
દેશભરમાં અત્યારે SIRની કામગીરી બીએલઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે મહેસાણામાં વધુ એક બીએલઓએ જીવ ગુમાવ્યો છે. મહેસાણાના સતલાસણના સુદાસણા ગામે બીએલઓ નું મોત નિપજ્યું છે. હૃદયરોગના હુમલાથી બીએલઓનું મોત થયું છે.
દેશભરમાં અત્યારે SIRની કામગીરી BLO દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે મહેસાણામાં વધુ એક BLOએ જીવ ગુમાવ્યો છે. મહેસાણાના સતલાસણના સુદાસણા ગામે BLOનું મોત નિપજ્યું છે. હૃદયરોગના હુમલાથી BLOનું મોત થયું છે. સતત 2-3 દિવસથી રાત્રે 2 વાગે ઉઠીને કામ કરતા હતા. ઘરમાં SIRની કામગીરી કરી રહ્યા હતા ત્યારે જ હાર્ટ એટેક આવ્યો હતો. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને ગામના દવાખાને લઈ જવાયા હતા. પરંતુ, ત્યાં યોગ્ય સારવાર કે ડૉક્ટર ઉપલબ્ધ ન હોઈ તેમને વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબ દ્વારા BLOને મૃત જાહેર કરાયા છે. સુદાસણા ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા.
આક્ષેપ છે સર્વર ઠપ હોવાને લીધે અનેક BLOને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને કામગીરી પૂરી કરવાનું પણ તેમના પર દબાણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સુદાસણા ગામની કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. તે ગામમાં જ BLO તરીકે ફરજ બજાવતા હતા. તેમના આકસ્મિક મોતથી ગામમાં શોકની લાગણી છે. મળતી વિગતો પ્રમાણે છે. દિનેશ રાવળની SIRની 70 ટકા કામગીરી પૂરી થઈ ગઈ હતી. પરંતુ, ઓનલાઈન કામગીરીમાં સવારે સર્વરના ધાંધિયા હોઈ તેમને રાત્રે ઉજાગરા કરવા પડતા હતા. છેલ્લા 2-3 દિવસથી તે રોજ રાત્રે 2 વાગે ઉઠીને વિગતો ઓનલાઈ વિગતો અપલોડ કરતા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
